આ ભારતની અથાય વિનાનું એક સૌથી લોકપ્રિય અને પ્રખ્યાત ચપટી રોટી છે આને તવા પર શેકીને આખા લોટમાંથી (હોલ વીટ ફ્લોર) બનાવવામાં આવે છે. પરાઠાના કણકમાં ઘી કે તેલ ઉમેરવામાં આવે છે અને તેને વણતી વખતે તેની સપાટી પર પણ ઘી ચોપડાય છે. પરાઠા માં મોટે ભાગે સાંજો ભરવામાં આવે છે જેમકે બાફેલા બટેટા, મૂળાં કે ફ્લાવર અને\અથવા પનીર. ભરેલા પરોઠાને માત્રતેના પર માખણનો ગઠ્ઠો મૂકીને કે ચટણી સાથે ખાઈ શકાય છે પણ તે ખાવાઅની અસલી મજા તો અથાણા અને દહીં સાથે ખાવાને આવે છે.આ સિવાય તેને જાડી કરી સાથે બનાવેલ પંજાબી શાક સાથે પણ ખવાય છે. અમુક લોકો પરાઠાને ભૂંગળીની જેમ વાળી ચા સાથે ખાવાનું પસંદ કરે છે.પરોઠા ગોળ, ચોરસ કે ત્રિકોણાકાર હોઈ શકે. અમુક વખતે શાક ભાજીને કણ બાંધતા તેમાં જ ઉમેરી દેવામાં આવે છે અને તેવે શાક મિશ્રિત કણકના પર પરોઠા બનાવવામાં આવે છે. જ્યારે અમુક વખતે માત્ર લોટની કણકને વણી તમાં વચમાં સાંજો ભરવામાં આવે છે બાજુઆ લોટને મદદ વડે સાંજાને બંધ કરી વણી નાખમાં આવે છે. પહેલા પ્[રકારના પરોઠા એક જાડી રોટલી સમાન હોય છે જ્યારે બીજાં પ્રકરના પરોઠામાં સ્તરો હોય છે. આજે મે શાકભાજી અને પનીર નો ઉપયોગ કરી ને પરોઠા બનાવ્યા છે. ખૂબ જ સરળ રેસિપી છે અને બાળકો ના નાસ્તા માં પણ સુટ થાય એવી ડીશ છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો